+91 - 22 - 40203620 / 21 | +91 8879755458

My Voice

News Room > News & Event > Event
10 Dec 2012
ત્રિશલામાતા અને ચૌદ સ્વપ્નો

 

 

 

 

 

 

-- મીના કિરણ ગાંધીકૃત રંગોળી

  

જૈનોના ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીરની માતા તે ત્રિશલા તીર્થંકરો જેવી સર્વોચ્ચ, લોકોત્તર વ્યક્તિઓ માટે સામાન્ય નિયમ પ્રમાણે તેઓ અન્તિમ ભવમાં ઉચ્ચ ગણાતા ક્ષત્રિયાદિ જાતિ-કુલ-વંશમાં જન્મ લે, નહિ કે શુદ્રાદિ જાતિ- કુલ-વંશમાં, પણ મહાવીર માટે આ નિયમથી વિરુદ્ધ ઘટના બની અને આષાઢ સુદિ છટ્ઠના દિવસે, લાખો વરસપૂર્વે કરેલા કુલાભિમાનના કારણે તેઓ બ્રાહ્મણકુલમાં ગર્ભપણે અવતર્યા. પહેલા દેવલોકના ઈન્દ્ર સૌ ધર્મ અવધિજ્ઞાનથી આ અઘટિત ઘટનાને જોતાં ચોંકી ઉઠ્યા, અને ત્યાં જન્મ ન થાય તે માટે ક્ષત્રિયકુલનું યોગ્ય સ્થાન નક્કી કરી તુરત જ હરિ-ણૈગમેષી દેવને બોલાવી ગર્ભપરાવર્તનનો આદેશ આપી બ્રાહ્મણકુંડ નગરમાં દેવાનંદની કુક્ષિમાંથી ભગવાનના ગર્ભને લઈને ક્ષત્રિયકુંડ નગરમાં રહેલી રાજા સિદ્ધાર્થની રાણી ત્રિશલાના ગર્ભમાં સ્થાપન કરાવી, ત્રિશલાના ગર્ભને દેવાનંદાની કુક્ષિમાં મૂકાવે છે. ત્રિશલા ગર્ભના પુણ્યપ્રભાવે મધ્યરાત્રિએ (૧) સિંહ(૨) હાથી (૩) વૃષભ(૪) લક્ષ્મીદેવી(૫)પુષ્પમાળા(૬)ચંદ્ર(૭) સૂર્ય(૮) ધ્વજ(૯)રૌપ્યકુંભ(૧૦) પદ્મસરોવર(૧૧) ક્ષીરસાગર (૧૨) દેવ વિમાન (૧૩) રત્નરાશિ (૧૪)નિર્ધૂમ અગ્નિ એમ ચૌદ પ્રશસ્ત સ્વપ્નોને જુએ છે.
TOP

Members can now request for a soft copy of the names and addresses of all those listed in the Directory in Excel format. The copy will contain the list with all the updates that have been informed by members till the last day of the previous month.
This service is strictly for the use of Members Only.


Palanpur Online Helpline

Tel: +91 - 22 - 40203620 / 21
Email: info@palanpuronline.com
Time: 10am - 6pm (IST) (Mon to Fri)

Close